home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

કેન્દ્ર દ્વારા ગુજરાતને ૧૬૬૧ કરોડનો હાઇવે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૫

કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં રુ.૩,૨૩૦.૮૦ કરોડના ખર્ચે ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટ શરુ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના ભાગરુપ રુ. ૧,૬૬૧.૯ કરોડના ખર્ચે સુરત-હજીરાને જોડતા નેશનલ હાઇવેને ચાર લેનનો કરાશે. આ સાથે કેબિનેટે કાર્યસ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણની જાળવણી માટેની રાષ્ટ્રીય નીતિ અને બિહારમાં રુ.૨,૦૦૦ કરોડના બે રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી હતી.

સુરત-હજીરા સેક્સન ફોર લેન કરાશે ઃ બિહારમાં રૂ. ૨૦૦૦ કરોડના રેલવે પ્રોજેક્ટોને કેન્દ્રની બહાલી

કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતો અંગેની કમિટિ (સીસીઇપી)ની બેઠકમાં આ ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) દ્વારા નિર્માણ પામશે. પ્રોજેક્ટના ભાગરુપ સુરત-હજીરા વચ્ચેના નેશનલ હાઇવે નં.૬ને રુ.૧,૬૬૧.૯ કરોડના ખર્ચે ચાર લેનનો કરવામાં આવશે, તથા રાજસ્થાનમાં જયપુર-ટોન્ક-દેઓલીને જોડતા નેશનલ હાઇવે નં.૭૨ને રુ.૧,૨૦૩.૬૪ કરોડના ખર્ચે ચાર અને છ લેનનો કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે આ માહિતી આપી હતી.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને પીપીપી દ્વારા આ પ્રોજેક્ટોનું કામ પૂર્ણ કરવામાં આવશે. તેમણે એમપણ કહ્યું હતું કે એનએચએઆઇ બે તબક્કાની ટેન્ડર પ્રક્રિયા દ્વારા યોગ્ય કંપનીની પસંદગી કરશે. આ સાથે તેમણે એમપણ કહ્યું હતું બીજા તબક્કાની ટેન્ડર પ્રક્રિયા અત્યારે ગતિમાં છે.

કેન્દ્રીય કેબિનેટે આ ઉપરાંત કાર્યસ્થળે કર્મચારીઓની સલામતી, આરોગ્ય અને પર્યાવરણની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટેની રાષ્ટ્રીય નીતિને મંજૂરી આપી હતી. ચિદમ્બરમે આ અંગે જણાવ્યું હતું કે આ નીતિના ભાગરુપ સરકારી કચેરીઓ, ઇન્સપેક્શન ઓથોરીટી, ખાનગી કંપની, સંશોધન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત અને યોગ્ય વાતાવરણ સર્જવા સામાન્ય માર્ગદર્શિકા પુરી પાડવામાં આવશે. આ નીતિને ચર્ચા માટે સંસદના સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સાથે કેબિનેટે બિહારમાં રેલવેના ઇલેકટ્રીક અને ડિઝલ લોકોમોટીવ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. રુ.૨૦૦૦ કરોડના આ પ્લાન્ટ લાલુપ્રસાદની પાર્ટી રાજદના મજબુત ગઢ મનાતા મધેપુરા અને મારહોવરામાં સ્થપાશે.

Copyright   © Gujarat Samachar