| Last Update : 05-Feb-2012,Sunday |
|
|
| |
|
|
|
|
સંિગતેલના ભડકે બળતા ભાવો પ્રજાના ખિસ્સા પર સીધી અસર |
- કપાસિયા તેલનો વપરાશ વઘ્યો છે મગફળીના ઉત્પાદનકારો ઠેરના ઠેર
|
તેલના ભાવોમાં ફરી ભડકો થયો છે. તેલના ભાવ જ્યારે પણ વધે છે ત્યારે તેલિયા લોબી અને તેની પાછળનું રાજકારણ સપાટી પર આવે છે.
રોજીંદા જરૂરિઆતની ચીજોના ભાવો અચાનક વધે ત્યારે મઘ્યમવર્ગની કાગારોળ વધે છે. સંિગતેલના ભાવો માત્ર પ્રજાના ખિસ્સા પર અસર નથી કરતાં પણ ગુજરાતના રાજકારણ પર પણ અસર કરે છે. એક સમય હતો કે સંિગતેલનો કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે કપાસિયા તેલ મજબૂત વિકલ્પ બની ગયો છે. તેમ છતાં સંિગતેલનો ઉપયોગ કરનારાની સંખ્યામાં કોઈ લાંબો ફેર પડ્યો નથી. ગુજરાતમાં અનેક કુટુંબો આજે પણ કપાસિયાનો ઉપયોગ કરે છે.
કપાસિયાના ઉપયોગ પાછળનું મુખ્ય કારણ તે હૃદયરોગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે. કપાસિયાનો ઉપયોગ આ કારણોસર વઘ્યો છે. જ્યારે સંિગતેલના વપરાશમાં ઘટાડો થયો છે. ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો નથી પરંતુ આ ગ્રાહકો તળવામાં કપાસિયાનો ઉપયોગ કરે છે. કપાસિયાથી થતા ડબલ એડવાન્ટેજનો સૌથી વઘુ લાભ મઘ્યમવર્ગ ઉપાડે છે.
કપાસિયા તેલનો ઉપયોગ થવા પાછળના બે કારણો છે. એક તે આરોગ્યપ્રદ છે અને બીજું એ કે તે સંિગતેલ કરતા સસ્તું છે. બી.ટી. કપાસે ઉત્પાદનમાં મોટો ફાળો આપ્યો છે એમ કૃષિ ઉત્પાદકોનું માનવું છે. જ્યારે કપાસિયા અને સંિગતેલ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ત્યારે તેના બંનેના ભાવોમાં બહુ લાંબો ફેર નહોતો.
હવે બંનેના ભાવોમાં રૂા. ૭૦૦-૮૦૦નો તફાવત છે. ઓછા ભાવોની આ અસર તેને સંબંધિત ઉત્પાદનો પર પડે છે. કપાસિયા તેલનો વપરાશ છેલ્લાં બે વર્ષમાં ૧૭ ટકા વઘ્યો છે.
એક સમય હતો કે જ્યારે તલના તેલનું વર્ચસ્વ હતું. તલનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ આવકાર્ય હતું પરંતુ મગફળીના મબલક ઉત્પાદન બાદ સર્વત્ર સંિગતેલ છવાઈ ગયું હતું. તલનો ઉપયોગ ધાર્મિક પ્રસંગો અને ઉતરાયણ જેવા પર્વોમાં વધવા લાગ્યો હતો. જોકે હજુ એક વર્ગ એવો છે કે જે તલ પીસતી ચક્કીઓ પર જઈને તાજું તલનું તેલ મેળવે છે. શહેરની ગાંધીહાટમાં પણ તલનું તેલ ઉપલબ્ધ હોય છે. જેમને પગના સાંધાના દુઃખાવાની સમસ્યા હોય છે તેઓ તલનું તેલ ઘસીને રાહત મેળવતા હોય છે. બાજરીની ખીચડી જેવી પરંપરાગત વાનગીમાં પણ તલનું તેલ વપરાય છે.
સંિગતેલના ઉત્પાદનની સાથે તેલિયા લોબી અને સટ્ટાખોરો સંકળાયેલા છે. ભૂતકાળમાં ગુજરાતના રાજકારણીઓ તેલિયા લોબીની કૃપા મેળવવા સૌરાષ્ટ્રના રાજકારણને સમજવા પ્રયાસ કરતા હતા પરંતુ કપાસિયાના વધતા વપરાશે આ તેલિયા લોબીને ઢીલી પાડી દીધી હતી. કપાસિયાનું વઘુ ઉત્પાદન કૃષિ સંશોધન આધારિત છે એવું મગફળીના ઉત્પાદન માટે સંશોધન ચાલે છે.
મગફળીનું ઉત્પાદન સતત મળી રહે તેવા સંશોધન માટે પ્રયાસ ચાલે છે. જેમ બીટી કપાસે ચમત્કાર સર્જ્યો છે એમ બીટી મગફળીની રાહ જોવાય છે.
સંિગતેલના વપરાશ પર એક નજર કરીએ તો ૧૯૭૨માં તેનો વપરાશ ૧૦૬૦ મે.ટન હતા, જે ૧૯૯૬માં ૨૧૦૮ મે.ટન પર પહોંચ્યો હતો. ૨૦૧૧માં તે ઘટીને ૧૩૨૩ મે.ટન થઈ ગયો હતો.
જ્યારે કપાસિયા તેલનો વપરાશ ૧૯૬૪માં ૪૪૪ મે.ટન હતો જે ૨૦૧૧માં વધીને ૨૪૮૦ મે.ટન પર પહોંચી ગયો છે. કપાસિયાનું ઉત્પાદન વધતાં કપાસિયા તેલના ભાવોમાં કોઈ મોટો ઉછાળો નથી આવતો. લોકો પણ આરોગ્ય પ્રત્યે સજાગ બનતાં કપાસિયાનો વપરાશ વઘ્યો છે. સંિગતેલનો વપરાશ ઘટવા પાછળનું અન્ય એક કારણમાં નવા આવતા ખાધ તેલો પણ છે. જેમ કે સનફલાવર ઓઈલ, મકાઈનું તેલ રસોઈમાં વપરાતા ઓલીવ ઓઈલ વગેરે.
ગુજરાતના રાજકારણ પર તેલિયા લોબીનો પ્રભાવ લાંબા સમય સુધી રહ્યો હતો પરંતુ મગફળી ઉત્પાદન કરતા કિસાનોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. એક વાત એ પણ સ્પષ્ટ છે કે અન્ય તેલોનો વપરાશ વધતાં સંિગતેલની લોબીનું પ્રભુત્વ ઘટી ગયું છે.
સંિગતેલના ભાવો જ્યારે ભડકે બળતા ત્યારે તેલ લોબી સામે આંગળી ચીંધાતી હતી પરંતુ હવે રાજકીય સમિકરણો બદલાઈ ગયા છે. હવે કોઈ લોબીનું સરકાર પર પ્રભુત્વ રહ્યું નથી તેની પાછળ બિઝનેસનું વિસ્તરેલું ફલક છે.
મગફળી તેલ ઉપરાંત અન્ય ખાધ પ્રોડક્ટમાં વપરાવા લાગી છે. શંિગદાણાના વઘુ ભાવ મળી રહ્યા છે. તે પીલવા ઉપરાંત અન્ય બનાવટોની વપરાશમાં આવતા કિસાનોને આવકનો વઘુ એક માર્ગ ખુલ્યો છે. તાજેતરમાં સરકારે મલ્ટી રીટેલ પર એફડીઆઈ લાવવા પ્રયાસ કર્યો હતો. આ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં મગફળી જેવી ખાધ બીજો પણ આવી જાય છે. જો આવી સ્થિતિ થાય તો મગફળી ઉત્પાદન કરનારાઓનું સીંગતેલ બજાર પરનું પ્રભુત્વ ઘટી જાય અને અચાનક આસમાને ચઢી જતા ભાવો પર પણ નિયંત્રણ આવી શકે.
મંગળવારે આ લખાય છે ત્યારે સંિગતેલના ડબ્બાનો ભાવ રૂા. ૧૮૦૦ હતો જ્યારે કપાસિયાનો ભાવ રૂા. ૧૦૦૦ હતો. |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |