| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| કૌટુંબિક મિલકત મેળવવા પાડોશીના પુત્રનું અપહરણ |
| છેક ગુડગાંવથી દંપતીને પકડવામાં આવ્યું ઃ તેમના મોબાઈલ ફોનના રેકોર્ડથી સગડ મળ્યાં |
મુંબઈ -
કૌટુંબિક મિલકત મેળવવા માનખુર્દમાં પાડોશીના નવ મહિનામાં પુત્રનું અપહરણ કરી હરિયાણા પલાયન થઈ ગયેલા દંપતીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે માસુમ બાળકનો હેમખેમ છુટકારો કરાવતા તેના માતા-પિતાની ખુશીની કોઈ સીમા રહી નહોતી.
આરોપી યુવકને પોતાનો સગો પુત્ર નહોતો. તેની પત્નીને પુત્ર થશે તો જ કૌટુંબિક મિલકત આપવામાં આવશે એવી તેના પરિવારે શરત રાખતા બંનેએ આ પગલુંભર્યું હતું, એમ પોલીસે કહ્યું હતું. પોલીસ આ કેસ આરોપીના મોબાઈલ ફોનના રેકોર્ડના આધારે ઉકેલી શકી હતી.
ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના એપીઆઈ બાજીરાવ પવારે આપેલી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની બરકતઅલી લિયાકત અલી પઠાણ માનખુર્દમાં મહારાષ્ટ્ર નગરમાં તેની પત્ની સલખા (ઉ.વ.૨૮)સાથે ભાડે રહેતો હતો. સલમાએ બરકતઅલી સાતે બીજા લગ્ન કર્યા હતા.
તેના પહેલા પતિથી બે પુત્ર અને એક પુત્રી હતા. આ દંપતી અને તેની પાડોશમાં રહેતો દશરથવાનખેડે નવી બંધાઈ રહેલી બિલ્ડિંગમાં મજૂરી કામ કરતા હતા.
બરકતઅલીને સગો પુત્ર નહોતો. આ યુવકના પરિવારે તેના સગા પુત્રને જ કૌટુંબિક મિલકત આપવાની શરત રાખી હતી.
સલમા ફરી સગર્ભા બની શકે તેમ નહોતી.
આથી બંનેએ મિલકત મેળવવા વાનખેડેના નવ મહિનાના દીકરા સૂરજનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. બરકતઅલી ચારેક વર્ષથી રાજસ્થાનમાં તેના ઘરે ગયો નહોતો. આમ ઘણા સમય બાદ ગામમાં જઈ તેમે સૂરજ પોતાનો પુત્ર હોવાનું કહેવાનો હતો.
ગત ૧૦મી ઓગસ્ટે બરકતઅલી અને સલમા સૂરજનું અપહરણ કરી પકડાઈ ન જવાય માટે હરિયાણામાં ગુડગાંવ ખાતે નાસી ગયા હતા. ત્યાં બંને સફરજન વેચીને ગુજરાન ચલાવતા હતા.
માસૂમ સૂરજના ગાયબ થયા બાદ આ બંને જણ પણ ક્યાંય જતા રહ્યા હતા. પોલીસે તેમના મોબાઈલ ફોનના રેકોર્ડના આધારે ઝીણવટભરી તપાસ કરી હતી. છેવટે ગુડગાંવમાંથી ગઈકાલે બંનેને ઝડપી લઈ પોલીસે સૂરજનો હેમ ખેમ બચાવી લીધો હતો.
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|