Last Update : 02-Sept.-2010, Thursday
ગિલગિટ- બાલ્ટિસ્તાનમાં ચીનના સૈનિકોની હાજરી નકારતું પાક.
પૂરગ્રસ્તોની સહાયમાં ચીનની માનવતાવાદી ટુકડી જ આવી છે ઃ સૈન્ય અંગે ઉપજાવી કાઢેલો અહેવાલ
(પી.ટી.આઇ.) બીજીંગ,
પાકિસ્તાનના કબ્જા હેઠળના ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૧૧,૦૦૦ જેટલા ચીની સૈનિકો હાજર છે એવા અહેવાલોને આજે પાકિસ્તાનના ચીન ખાતેના રાજદૂતે ઉપજાવી કાઢેલા કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પૂરનો ભોગ બનેલાઓને રાહત પહોંચાડવા ચીનની એક માનવતાવાદી ટીમ અહીં છે, આ વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી નથી.
ચીન ખાતેના પાકિસ્તાનના રાજદૂત મસુદખાને ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ને કહ્યું કે, તે અહેવાલ સાચો નથી અને સંપૂર્ણ રીતે ઉપજાવી કાઢેલો અહેવાલ છે.
'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૭૦૦૦થી ૧૧૦૦૦ જેટલા ચીની સૈનિકો હાજર છે. પાકિસ્તાનના રાજદૂત મસુદખાન આ અહેવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં પાકિસ્તાન સ્થાનિક જનતા તરફથી બળવાખોરીનો સામો કરી રહી છે.
ખાને કહ્યું હતું કે, તે વિસ્તારમાં ચીની સૈનિકો નથી પણ પુરસંકટથી પીડિત સ્થાનિક જનતાને મદદ કરવા ત્યાં હાલમાં ચીનની 'માનવતાવાદી' ટીમ હાજર છે.
ન્યુયોર્ક ટાઇમ્સના અખબારી અહેવાલનો મુદદો એવો હતો કે ગલ્ફ વિસ્તાર સાથે માર્ગ વ્યવહારથી અને રેલવે વ્યવહારથી મુક્તપણે જોડાઈ શકાય તે માટે વ્યૂહાત્મક વિસ્તાર પર પકડ જમાવવા ચીનની યોજના હોવાથી ત્યાં ચીની સૈન્ય રાખવામાં આવ્યું હતું.
ચીનના અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સે' કહ્યું હતું કે, ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલથી ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.
ભારતે સોમવારે કહ્યું હતું કે, ગીલગીટ- બાલ્ટિસ્તાન વિસ્તારમાં ચીનના સૈન્યની હાજરી અંગેના અહેવાલની ખરાઈની તે સ્વતંત્રપણે તપાસ કરી રહ્યું છે. ભારતે વધુમાં કહ્યું હતું કે જો અહેવાલ સાચો હોય, તો તે 'ગંભીર ચિંતા'ની બાબત કહેવાય.
અહેવાલોનો પ્રતિભાવ આપતાં શાંઘહાઈ ઇન્સ્ટીટયૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝ (એસઆઇઆઇએમ)ના ડાયરેક્ટ ઝાઓ ગેનચેંગે કહ્યું હતુ કે, તે અહેવાલોમાં કરવામાં આવેલી અટકળો બુદ્ધિ વગરની છે તેમણે કહ્યું કે, 'તે વિસ્તારમાં રેલવે લાઇન નાંખવી અને રોડ બનાવવા આડે ઘણી ટેકનિકલ અડચણો આવી શકે છે બીજું જો ચીનની આવી કોઈ યોજના હોય તો પણ તે અર્થતંત્ર અને ઊર્જાના હેતુથી તેમાં અન્ય કોઈ દેશ માટે ખતરો પેદા થતો નથી.'
આ જ વિસ્તારમાં બે હાઇવેનું બાંધકામ કરવા જુલાઈ ૨૦૧૦માં ચીન અને પાકિસ્તાન વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા.
Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved