| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી |
પંજાબના મહાન શીખ મહારાજા
ભારતીય લેખક ખુશવંતસિંહનું પુસ્તક વાચી મારો મત બદલાયો ઃ ચૌધરી નિસાર
|
(પીટીઆઇ) ઈસ્લામાબાદ,
મહાન શીખ શાસક મહારાજા રણજીતસિંહને ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના પ્રતીક તરીકે વારંવાર ઉલ્લેખ કરવા બદલ પાકિસ્તાનના એક ટોચના રાજકારણીએ આજે માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે હવે તેમનો અભિપ્રાય બદલાયો છે.
પાકિસ્તાનની સંસદના વિરોધ પક્ષના નેતા ચૌધરી નિસાર અલી ખાને આજે કહ્યું કે રણજીતસિંહ અંગેનું પુસ્તક વાંચ્યા પછી તેમનો અભિપ્રાય બદલાયો હતો. ભૂતકાળમાં નિસાર અલી ખાન ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના પ્રતીક તરીકે રણજીતસિંહનો ઉલ્લેખ કરતા હતા. તેમણે પોતાના આવા કૃત્ય અંગે નેશનલ એસેમ્બલીમાં માફી માગી હતી. અન્ય સંસદસભ્યો પણ માફીની વાત સાંભળી આશ્ચર્યચકિત થયા હતા.
ચૌધરી નિસાર અલી ખાને સંસદમાં કહ્યું હતું કે જાણીતા ભારતીય પત્રકાર ખુશવંતસિંહનું મહારાજા રણજીતસિંહ અંગેનું પુસ્તક વાંચીને તેમનો અભિપ્રાય બદલાયો હતો.
ભ્રષ્ટાચારવિરોધી પગલા લેતી સંસદની પબ્લિક એકાઉન્ટસ કમિટીની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી નિસાર અલી ખાને મંગળવારે આ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 'હું ખોટો હતો. રણજીત (સિંહ) પંજાબના મહાન શાસક હતા.' તેમણે સંસદીય સમિતિને કહ્યું હતું કે રણજીતસિંહ અને તેમના શાસન અંગે ખોટી છાપ ધરાવવા બદલ તેમને ખેદ છે.
ગુજરાનવાલામાં જન્મેલા રણજીતસિંહ શીખ સામ્રાજ્યના પહેલા મહારાજા હતા. તે શેર-એ-પંજાબ તરીકે જાણીતા હતા. તેમણે ૧૯૩૯ સુધી શાસન કર્યું હતું અને લાહોર તેમની રાજધાની હતી.
જોકે યુધ્ધોમાં ઘણા મુસ્લિમોને માર્યા હોવાથી ઘણા પાકિસ્તાનીઓ મહારાજા રણજીતસિંહને ક્રુર શાસક માને છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|