ભરૃચ -
ભરૃચ જિલ્લામાંથી પસાર થતી ઓ.એન.જી.સી.ની પાઇપ લાઇનમાંથી ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાના બનાવો વારંવાર બનવા લાગ્યા છે. અંકલેશ્વર તાલુકાનાં રજાત ગામ ખાતે આવો બનાવ બન્યો હતો. ત્યારબાદ ગણતરીનાં દિવસોમાં જ વાગરા તાલુકાનાં ગંધાર ગામ પાસે લીકેજ અને આગનો બનાવ બનતાં ઓ.એન.જી.સી.ની પાઇપ લાઇનો જે જે ગામ વિસ્તારોમાંથી પસાર થાય છે તે ગામોમાં ભયની લાગણી ફેલાઇ છે.
ગંધાર પાસે તાજેતરમાં તા.૩૦મી ઓગસ્ટે બપોરે વાદળછાયા વાતાવરણમાં વેલ્ડીંગ કરતાં અચાનક આગ લાગતા, ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરાતા ૨૨ કર્મચારીઓ સખ્ત રીતે દાઝી ગયા હતા જોકે પટેલ વેલ્ફેર હોસ્પિટલ એન્ડ રીસર્ચ અનુસાર આ તમામ કર્મચારીઓની સઘન સારવાર કરવામાં આવતાં, કર્મચારીઓની તબીયત સુધારા પર છે. કોઇ ગંભીર નથી.
અત્રે નોંધાયા બાબપત એ છે કે લગભગ આખા ભરૃચ જિલ્લામાં ઓએનજીસીની ઓઇલ વહન કરતી પાઇપ લાઇનો છે. જેમાં વાગરા, અંક્લેશ્વર તાલુકાઓ મુખ્ય છે. આ તાલુકાઓના ગામોમાં આગ અને ગેસ લીકેજ નાં બનાવો વારંવાર બનતા ભયની લાગણી ફેલાવેલી છે. જયાં ઓએનસીજીની પાઇપ લાઇનોનાં મરામત દરમ્યાન આવા આગની અને ગેસગળતરનાં બનાવો બને છે. ત્યાં ઓઇલ ચોરી કરનારાઓના કારણે પણ આવ બનાવો બનતા હોવાનું ભૂતકાળમાં બન્યું છે.