| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| મોદીની કિન્નાખોરીનો આક્ષેપ અને કુલદીપ સામેની ફરિયાદને સંબંધ નથી |
| ચોક્કસ સ્થળે નિમણૂક કે એસીઆર અલગ બાબત છેઃ હાઇકોર્ટ |
અમદાવાદ,
કુલદીપ શર્માએ પોતાની વિરૂદ્ધની એફઆઇઆર રદ કરવા માટે કરેલી વિવિધ રજૂઆતોમાં મુખ્યમંત્રીએ પોતાની સામે કિન્નાખોરી દાખવી છે તેવા કરેલા આક્ષેપોને ગુજરાત હાઇકોર્ટ માન્ય રાખ્યા ન હતા અને પોલીસ અધિકારી તરીકે ચોક્કસ સ્થળે નિમણૂક કરવામાં આવી છે અન પોલીસ અધિકારી તરીકેની કામગીરી અંગે એસીઆરમાં કરેલી નોંધની બાબત આ કેસથી તદ્દન અલગ વિષય વસ્તુ છે અને ત કેટ કે હાઇકોર્ટમાં અન્ય સક્ષમ ફોરમ સમક્ષ કરી શકાય પરંતુ આ અરજી સાથે તે જોડી દેવા મર્યાદા બહારની બાબત છે.
જસ્ટિસ આર.એચ.શુકલે પોતાના ચુકાદામાં નોંઘ્યું હતું ક એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત યોગ્ય છે કે અરજદાર દ્વારા મુખ્યમંત્રી કે સરકાર વિરૂદ્ધ દ્વેષભાવ કે કિન્નાખોરી દાખવવાના કરવામાં આવેલા આક્ષેપો આ અરજીના સંદર્ભમાં વાજબી નથી. કોઇને પણ પક્ષકાર તરીકે જોડ્યા વગર આવા આક્ષેપો કેવી રીતે થઇ શકે. જેણે એન્કાઉન્ટર અંગે ફરિયાદ કરી છે તેવા કચ્છ-ભૂજના ફરિયાદ જુસબ સામે તેની વિરૂદ્ધ અરજદાર કુલદીપ શર્માના કોઇ આક્ષેપો નથી. જસ્ટિસે નોંઘ્યું હતું કે કોઇ પોતે પોતાના વિષે ઉંચી છાપ ધરાવતો હોય પરંતુ તેના હોદ્દા બદલવા કે કોઇ બઢતીની બાબત કે અન્ય કોઇ સ્થાને નિમણૂક ઓફર કરવામાં આવી હોય અને પોતાને અનુકૂળ ન હોય તે કારણસર આક્ષેપો કરવામાં આવે તે યોગ્ય અને વાજબી નથી. અરજદારની અરજી માત્ર ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૮૨ હેઠળ એફઆઇઆર રદ કરવાની સત્તામાં આવે છે કે નહિ તે મુદ્દે તેમજ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, જે તે સમયે યોગ્ય પગલાં લેવામાં તેણે કરેલો વિલંબ તથા તેનું વર્તન અને તપાસની કાર્યવાહીને પ્રતિબંધ લાગુ પડે છે તે મુુદ્દે જ કેસના ચોક્કસ સંજોગોને ઘ્યાનમાં લઇને આ હુકમ કરવામાં આવે છે.
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|